મારા પ્રિય નેતા ગાંધીજી/મહાત્મા ગાંધીજી/રાષ્ટ્રપિતા ગાંધીજી/mahatma gandhiji essay in gujrati

મારા પ્રિય નેતા ગાંધીજી/મહાત્મા ગાંધીજી/રાષ્ટ્રપિતા ગાંધીજી/mahatma gandhiji essay in gujrati

મારા પ્રિય નેતા ગાંધીજી/મહાત્મા ગાંધીજી/રાષ્ટ્રપિતા ગાંધીજી/mahatma gandhiji essay in gujrati



"મારો જન્‍મ બ્રિટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે." ગાંધીજી

મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. મોહનદાસની માતાનો નામ પુતલીબાઈ હતું. જે કરમચંદ ગાંધીની ચોથી પત્ની હતી. મોહનદાસ પોતાના પિતાની ચોથી પત્નીની આખરી સંતાન હતા.મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો.મહાત્મા ગાંધીજીનું નામ દુનિયાભરના મહા-પુરુષોમાં મોખરે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને મહાત્મા ગાંધીજી’, “બાપુજી’ જેવાં લાડીલાં નામોથી ઓળખીએ છીએ.મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તૂરબા હતું. ગાંધીજીના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. કસ્તુરબા ગાંધીજી કરતા 6 મહિના મોટા હતા. કસ્તુરબા અને ગાંધીજીના પિતા સારા મિત્રો હતા તેથી તેઓએ તેમની મિત્રતાને સગપણમાં ફેરવી દીધી. કસ્તુરબા ગાંધીએ દરેક આંદોલનમાં ગાંધીજીને એક સારો સાથ આપ્યો હતો.
સૌ તેમને આદર સાથે “બા’ કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તૂરબા સાથે ગાંધીજીના લગ્ન થયાં હતાં. ‘ મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું. વકીલ થયા પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. એ સમયે આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો.

" અહિંસા " સત્યની શોધનો આધાર છે.- ગાંધીજી

આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા. સ્વરાજ્ય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં નદી સાબરમતીને કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યાં રહ્યા. મીઠા પર અંગ્રેજોએ કર નાંખ્યો. આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો. તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ યોજી. દાંડીકૂચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી : “સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું.” – દાંડીકૂચ પછી તો અંગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડ્યા. તેમાં ૧૯૪૨માં અંગ્રેજોને પડકાર કર્યો : “ભારત છોડો’ આ આંદોલન મહત્ત્વનું છે. એ પ્રસંગે ગાંધીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા હતા.

ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે.- ગાંધીજી

આપણા દેશની સ્વતંત્રતા તરફના તેમના મહાન યોગદાનને કારણે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રના પિતા અથવા બાપુ” તરીકે ઓળખવામાં આવે છે. તે એવી વ્યક્તિ હતો જે લોકોની અહિંસા અને એકતામાં માનતા હતા અને ભારતીય રાજકારણમાં આધ્યાત્મિકતા લાવી હતી. તેમણે ભારતીય સમાજમાં અસ્પૃશ્યતાને દૂર કરવા માટે સખત મહેનત કરી, ભારતમાં પછાત વર્ગોના ઉત્કર્ષ, સામાજિક વિકાસ માટે ગામો વિકસાવવા માટે અવાજ ઉઠાવ્યો, ભારતીય લોકો સ્વદેશી માલ અને અન્ય સામાજિક મુદ્દાઓનો ઉપયોગ કરવા પ્રેરિત થયા. તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા માટે સામાન્ય લોકો લાવ્યા અને તેમને તેમની સાચી સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા આપી.

"મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે, સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન."- ગાંધીજી

એકવાર ગાંધીજી ને જ એક ગોરા માણસ એ બહાર કાઢ્યા, કારણ કે તે સમયે ગાંધીજી પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તે વર્ગમાંના ગોરાઓ જ તેમનો મુસાફરી કરવાનો અધિકાર માનતા હતા. ગાંધીજીએ ત્યારથી જ ધારી લીધું હતું કે તેઓ કાળા લોકો અને ભારતીયો માટે લડશે. તેમણે ત્યાં વસતા ભારતીયોના જીવનમાં સુધારો લાવવા માટે અનેક પ્રયાસ શરૂ કર્યાં. દક્ષિણ આફ્રિકામાં આંદોલન દરમિયાન તેઓ સત્ય અને અહિંસાના મહત્વને અંદર થી સમજી ગયા.

મહાત્મા ગાંધીજીનું જીવન આદર્શવાદની દ્રષ્ટિએ હેતુપૂર્ણ વિચારો થી ભરેલું હતું. યુગના મહાપુરુષની પદવીથી સન્માનિત મહાત્મા ગાંધી સમાજ સુધારક તરીકે પણ ઓળખાય છે. પરંતુ મહાત્મા ગાંધીના મતે સમાજ ઉત્થાન માટે સમાજમાં શિક્ષણનું યોગદાન જરૂરી છે

મહાત્મા ગાંધીએ વિવિધ આંદોલન દ્વારા ગુલામીની જકડાયેલા દેશને આઝાદ કર્યો અને લોકો ના જીવન માં “અહિંસા પરમો ધર્મ” ના સિદ્ધાંતનો પાયો નાખ્યો. તે એક સારા રાજકીય બીટા તેમજ ખૂબ સારા વક્તા હતા. તેમના દ્વારા બોલાયેલા શબ્દો લોકો દ્વારા હજી યાદ કરવામાં આવે છે.


ગાંધીજીએ મીઠા નો સત્યાગ્રહ કરી આંદોલન શરૂ કર્યું. ચા, કાપડ અને મીઠું જેવી ચીજો ઉપર બ્રિટિશરોએ પોતાનું નિયંત્રણ રાખ્યું હતું. આ આંદોલન 12 માર્ચ 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધી પગપાળા નીકળવા નું હતું. ગાંધીજી એ મીઠા નો કાયદો તોડી ને અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો.

ગાંધીજીએ 9 ઓગસ્ટ 1942 ના રોજ ભારત છોડો આંદોલન છોડી દીધું હતું અને તેમણે બ્રિટીશ સામ્રાજ્યની વિરુદ્ધ એક ખૂબ મોટું આંદોલન જાહેર કર્યું હતું. આ માટે તેને જેલમાં જવું પડ્યું. આ સાથે, તેમણે અસ્પૃશ્યોને તેમના દુખોથી મુક્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. ગાંધીજીએ બધા સમાજને શાંતિ અને સત્યનો પાઠ ભણાવ્યો.

છેલ્લો કટોરો ઝેરનો આ: પીજજો, બાપુ !

સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,

જા સાત સાગર પાર સેતુ બાંધવાને -

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !

વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

1948 માં 30 મી જાન્યુઆરીના રોજ તેમનું અવસાન થયું હતું અને તેમના શરીરનું સંસ્મરણ રાજઘાટ, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે 30 મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે.

ગાંધીજી એક આદર્શ ગુરુ, મહાન વક્તા, મહાન ચિંતક અને પરિશ્રમશીલ વ્યક્તિ હતા. તેમને હાજી પણ વિશ્વભરમાં ખૂબ આદર સાથે યાદ કરવામાં આવે છે. તેમના સત્ય અને અહિંસાના માર્ગને અનુસરીને, રાષ્ટ્રો વચ્ચેના ક્રોધાવેશનો અંત અને સામાન્ય લોકોના કલ્યાણ થી શકે છે.

FAQs:


મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?

2 ઓકટોબર 1869ના રોજ

મહાત્મા ગાંધીજીના માતા-પિતાના નામ શું હતા?

પિતા કરમચંદ અને માતા પુતળીબાઈ

મહાત્મા ગાંધીજીની પત્નિનું નામ શું હતું?

કસ્તુરબા

દાંડીકૂચ કઈ સાલમાં થઈ હતી?

ઈ.સ.1930 માં

ગાંધીજીનું અવસાન ક્યારે થયું હતું?

1948 માં 30 મી જાન્યુઆરીના રોજ

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !